ગુવાહાટીમાં યોજાનારી જાપાન-ભારત શિખર બેઠક રદ્દ

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ થઇ રહેલા હિંસક પ્રદર્શન વચ્ચે ભારત-જાપાન વચ્ચે થનારી શિખર બેઠક રદ્દ કરવામાં આવી છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે આ બેઠકમાં આવવાના હતા. બેઠક ગુવાહાટીમાં થવાની હતી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત આખા અસમમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. બુધવારના રોજ થયેલા હિંસક પ્રદર્શન બાદ ગઈકાલે ગુવાહાટીમાં લોકોએ કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું. ગુવાહાટીમાં બે પ્રદર્શનકારીઓનું મોત થયું હતું. તો ટ્રાન્સપોર્ટ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત આખા અસમમાં ભારે વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. બુધવારના રોજ થયેલા હિંસક પ્રદર્શન બાદ ગઈકાલે ગુવાહાટીમાં લોકોએ કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું. ગુવાહાટીમાં બે પ્રદર્શનકારીઓનું મોત થયું હતું. ત્યારે ટ્રાન્સપોર્ટ સેવાઓ પર પૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. ટ્રેનોની સાથે જ ગુવાહાટી અને ડિબ્રૂગઢ જનારી ઘણી ફ્લાઈટ્સ રદ્દ થઈ છે. અસમના ચાર વિસ્તારોમાં સેનાને તેનાત કરવામાં આવી છે. મેઘાલયમાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

શિલોન્ગમાં બે ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી દિલ્હી માટે ફ્લાઈટ પકડી શક્યા નહોતા. અહીંયા અત્યારે અનિશ્ચિત કાળ માટે કર્ફ્યુમાં લગાવી દેવામાં આવ્યો છે. 48 કલાક સુધી ઈન્ટરનેટ અને એસએમએસ પર રોક છે. તો ત્રિપુરામાં અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે અને શાંતિનું વાતાવરણ છે.