યુપીએ સરકારે બોફોર્સકાંડ આરોપી ક્વાત્રોચીના બેંક ખાતાં કેમ ફ્રીઝ ન કર્યાંઃ સીબીઆઈ

નવી દિલ્હીઃ બોફોર્સ મામલે ભાગેડુ ઓટાવિયો ક્વાત્રોચીના યૂનાઈટેડ કિંગડમના બેંક ખાતાંઓને ફ્રીઝ કરવાનો વિકલ્પ યુપીએ-1 સરકાર પાસે હતો પરંતુ આમ કરવામાં આવ્યું, પ્રાપ્ત માહિતી અનુસાર સંસદની લેખા સમિતિને આપવામાં આવેલી જાણકારીમાં સીબીઆઈએ વાત તરફ ઈશારો કર્યો છે કે કોંગ્રેસની યૂપીએ સરકાર વાત નક્કી કરવામાં પરોવાયેલી હતી કે ક્વાત્રોચીની 1 મિલિયન ડોલર અને 3 મિલિયન યૂરો સુધી પહોંચ બની રહી કે જેને બોફોર્સ ડીલથી મળેલા પૈસા માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર યૂકેની ક્રાઉન અભિયોજન સેવા સીપીએસના વકીલે સલાહ આપી હતી કે ક્વાત્રોચિની સંપત્તિઓ જપ્ત કરવાની પ્રક્રિયામાં તેના ખાતાં ફ્રીઝ કરી શકાતા હતાં.

મહત્વની વાત છે કે સીપીએસની સલાહને તત્કાલીન એડિશનલ સોલિસિટર જનરલ ભગવાન દત્તાએ ફગાવી દીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે સીપીએસના વકીલ સ્ટીફલ હેલમેન દ્વારા સીઆરપીસીની ધારાઓનો ઉપયોગ કરવો યોગ્ય નથી. મામલે બેંકો માટે ડિસ્ચાર્જ ઓર્ડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરીના રોજ ક્વાત્રોચીના ખાતાઓને જેમના તેમ રાખવાનો આદેશ આપ્યો પરંતુ તે દિવસે તે બેંક એકાઉન્ટમાંથી તમામ રકમ કાઢી લેવામાં આવી હતી.

ઈટાલિયન કારોબારીએ સંયમ આદેશ માટે યૂકે હોમ ઓફિસ પર દબાણ કર્યું હતુ, અને ત્યારબાદ સીપીએસે સીબીઆઈને જણાવ્યું કે લંડનના ખાતાઓને ફ્રીઝ કરવાનો કોઈ આધાર છે કે નહીં તેની પુષ્ટિ કરો. લંડન સાથે થયેલી વાતચીતમાં, દત્તાએ સીપીએસને જણાવ્યું કે યૂકેમાં રહેલી રકમ, સ્વીડિશ હથિયાર નિર્માતા દ્વારા મળેલી રકમ છે. અંગેના તમામ સબૂત સીબીઆઈને નથી મળી શક્યાં. સીબીઆઈએ ભારતીય અદાલતોમાં પોતાનું સ્ટેંડ બદલતા જણાવ્યું કે તે ક્વાત્રોચી વિરૂદ્ધ આગળ વધવા નથી માંગતી. દત્તાએ સીપીએસને જણાવ્યું હતુ કે ક્વાત્રોચી વિરૂદ્ધ 1997માં જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટીસ નિષ્ફળ રહી હતી જેને જોતાં ઈટાલિયન નાગરિકને ભારતમાં અપરાધિક કેસ મામલે લાવવાની સંભાવના અનિશ્ચિત હતી.