BHUના મુસ્લિમ પ્રોફેસરે આપ્યું રાજીનામું, વિદ્યાર્થીઓએ મીઠાઈ વહેચીને ખુશી મનાવી

બનારસઃ પોતાની નિમણૂકને લઈને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા પછીના એક મહિના પછી ફિરોઝ ખાને સોમવારે વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગમાંથી રાજીનામું આપી દીધું છે. બીએસયુના સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન(એસવીડીવી)માં એક મુસ્લિમની નિયુક્તિની વિરુદ્ધ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ મીઠાઈ વહેચીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. 10 ડીસેમ્બરના રોજ લખાયેલ પત્રમાં એસવીડીવી વિભાગના કાર્યવાહક પ્રોફેસર કૌશલેન્દ્ર પાંડેએ લખ્યું હતું કે આપને જણાવવાનું કે ફિરોઝખાન જેમને એસવીડીવીના સાહિત્ય વિભાગમાં સહાયક પ્રોફેસરના રૂપમાં નિમણૂંક કરાયા હતા, ને 9 ડીસેમ્બર, 2019ના રોજ રાજીનામું આપી દીધું છે. વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ પોતાના ભણતર માટે અને પરીક્ષાઓમાં પાછા ફરે.

બીએચયુના જનસંપર્ક અધિકારી રાજેશ સિંહે કહ્યું છે કે ફિરોઝ ખાન કલા વિભાગ અને સંસ્કૃત વિભાગમાં સામેલ કરાયા છે. તેમને આયુર્વેદ વિભાગ અને કલા વિભાગ બન્ને પદો પર રહેવા રજૂઆત કરાઈ હતી. તેમણે કલા વિભાગને પસંદ કર્યો હતો, અને તેઓ ઝડપથી ભણાવવાનું શરૂ કરી દેશે.

સોમવારથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ મંગળવારથી શરૂ થયેલી સેમેસ્ટર પરીક્ષાનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. તે પછી સોમવારે ફિરોઝખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જે પછી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ મીઠાઈ વહેચીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી શશીકાંત મિશ્રાએ જણાવ્યું છે કે તેમને ડૉ. ખાનને રાજીનામાની જાણ થઈ ગઈ છે, તેઓ પોતાનું આંદોલન પાછું લઈ રહ્યાં છે.

એક અન્ય પ્રદર્શનકારી વિદ્યાર્થી ચક્રપાણી ઓઝાએ કહ્યું કે હું એસવીડીવીમાં રાજીનામું આપનાર ડૉ. ખાનનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. અમે તેમને અભિનંદન પણ આપીએ છીએ અને આશા કરીએ છે કે તેઓ જીવનમાં સફળ થાય અને આ કોઈ વ્યક્તિગત લડાઈ ન હતી.