કોરોનાના 24,337 નવા કેસો, 333નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. ભારત વિશ્વમાં કોરાનાને મામલે બીજો દેશ બની ગયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,337 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 333 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,00,55,560 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,45,810 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 96,06,111 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,03,639એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.53 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે. 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.