કોરોનાના 22,890 નવા કેસ, 338નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 99 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,890 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 338 લોકોનાં મોત થયાં છે. દેશમાં પાંચ મહિનામાં બીજી વાર 23,000થી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 99,79,447 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,44,789 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 95,20,827 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,13,831એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.87 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.