મુંબઈના કાંદિવલીમાં યોગેશ સાગરના ચૂંટણી પ્રચાર અંતર્ગત રવિ સભાનું આયોજન

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી આ મહિનાની 21મી તારીખે નિર્ધારિત છે ત્યારે તમામ પાર્ટીઓના ઉમેદવારો દ્વારા ચૂંટણીપ્રચાર પૂરજોશમાં ચાલુ છે.

અહીંના કાંદિવલી ઉપનગરના પશ્ચિમ ભાગમાં આવેલા ચારકોપ વિસ્તારમાં ભાજપના વર્તમાન વિધાનસભ્ય અને આગામી ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર યોગેશ સાગર માટેના પ્રચાર અંતર્ગત સ્વામીનારાયણ હરિધામ સોખડા રવિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

એ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયા, વિધાનસભ્ય પૂર્ણેશભાઈ મોદી, ભૂતપૂર્વ વિધાનસભ્ય જનકભાઈ બગદાના, કચ્છ જિલ્લાના મહામંત્રી અનિરુદ્ધ દવે, સુરત મહામંત્રી દામજીભાઈ માવાણી, ભાજપ યુવા ઉપાધ્યક્ષ કરસનભાઈ ગોંડલિયા, પૂજ્ય સ્વામીજી અને સત્સંગી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

યોગેશ સાગર હાલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં શહેરી વિકાસ ખાતાના રાજ્યપ્રધાન છે.