લતા મંગેશકરની તબિયતમાં સુધારો થઇ રહયો છે

મુંબઈઃ લેજન્ડરી સિંગર લતા મંગેશકરને મુંબઈના બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ થયે એક સપ્તાહ પૂર્ણ થઈ ચૂક્યો છે. તેમને વાયરલ ચેસ્ટ કન્ઝેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. લતા દીદી ત્યારથી જ આઈસીયૂમાં છે, પરંતુ આ સમયમાં તેમની તબીયતમાં ખૂબ સુધારો આવ્યો છે. તેમના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર લતા મંગેશકરની તબિયતમાં પહેલાના મુકાબલે ખાસ્સો સુધારો આવ્યો છે.