ભિવંડી – મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભિવંડી તાલુકાના શાહપુર નગરમાં શિવસેના પાર્ટીના નેતાની હત્યાથી ખળભળાટ મચી ગયો છે.
ખૂન કરાયેલા નેતાનું નામ છે શૈલેષ નિમસે. એ શિવસેનાના ભિવંડી તાલુકા એકમના ઉપપ્રમુખ હતા.
નિમસેની હત્યા કર્યા બાદ ઓળખ થઈ ન શકે એ માટે હત્યારાઓએ નિમસેના મૃતદેહને સળગાવી દીધો હતો.
મૃતદેહને પહેલા ભિવંડી ઉપજિલ્લા હોસ્પિટલમાંથી પોસ્ટ મોર્ટમ માટે મુંબઈની જે.જે. હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.