રઘુરામ રાજનનું નામ અર્થશાસ્ત્ર નોબેલ વિનરની યાદીમાં?

નવી દિલ્હી– સોમવારે અર્થશાસ્ત્રના ક્ષેત્ર માટે નોબેલ પુરસ્કારની ઘોષણા થવાની છે. તેના સંભવિત વિજેતાઓના નામની યાદીમાં રઘુરામ રાજનનું નામ હોવાની ખબર મળી રહી છે. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ક્લૈરિવેટ એનાલિટિક્સની નોબેલ પુરસ્કાર સંભાવિત વિજેતાની તૈયાર થયેલી યાદીમાં છે.

ક્લૈરિવેટ એનાલિટિક્સ એકેડેમિક અને સાયન્ટિફિક રીસર્ચ કંપની છે. જે પોતાના રીસર્ચના આધારે નોબેલ વિનર્સના સંભાવિતોની યાદી તૈયાર કરે છે. વૉવ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટ પ્રમાણે રઘુરાજ રાજન એ છ સંભાવિત વિજેતાઓની નામયાદીમાં છે જેની યાદી ક્લૈરિવેટ એનાલિટિક્સે તૈયાર કરી છે. રાજનને કોર્પોર્ટ ફાઇનાન્સના ક્ષેત્રમાં તેમણે કરેલા પ્રદાન માટે શામેલ કરવામાં આવ્યાં છે.

રઘુરામ રાજન આરબીઆઈ ગવર્નરના રુપમાં બીજી ટર્મ મળવાની આશા હતી જોકે તેમ થયું નહીં. પોતાની ટર્મ પૂર્ણ થયાં બાદ રઘુરામ રાજન શિકાગો યુનિવર્સિટીમાં બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફેકલ્ટી તરીકે તેઓ પાછાં ચાલી ગયાં હતાં. આરબીઆઈ ગવર્નર પદ છોડ્યાં પછી રાજને સ્પષ્ટતાઓ કરી હતી કે કેટલાક મુદ્દે તેમની અને કેન્દ્ર સરકારની માન્યતાઓમાં ફરક હતો. જેમાં નોટબંધીનો નિર્ણય પણ શામેલ હતો. રાજને નોટબંધીના નિર્ણયની કડક આલોચના કરી હતી.