મહાભિયોગ મામલાને રોકવા કોર્ટમાં જઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ

લંડન: ‘વ્હાઇટ હાઉસ’ના નિવેદન પ્રમાણે, બુધવારે મહાભિયોગ (ઇમ્પિચમૅન્ટ)ની કાર્યવાહી થશે, તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ ભાગ નહીં લે. તેમનું કહેવું છે કે આ સુનાવણી ‘ન્યાયી’ નથી. મહાભિયોગ મામલાને અટકાવવા ટ્રમ્પ સર્વોચ્ચ અદાલત જાય તેવી શક્યતા છે. બે દિવસીય નાટો સમિટમાં ભાગ લેવા લંડન પહોંચ્યા બાદ ટ્રમ્પે આ પ્રકારનું નિવેદન આપ્યું છે.  ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, ‘હાલ જ હું યૂનાઈટેડ કિંગડમ પહોંચ્યો, કાલે યોજાનાર નાટો સમિટ માટે લંડન જઈ રહ્યો છું. અહીં લેન્ડિંગ પહેલા ખોટા મહાભિયોગ મામલે રિપબ્લિકનનો રિપોર્ટ વાંચ્યો! ગ્રેટ જોબ’.

ટ્રમ્પ ઉપર આરોપ છે કે તેમણે પોતાના રાજકીય લાભ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમિર ઝેલેન્સ્કી ઉપર તપાસ હાથ ધરવા દબાણ કર્યું હતું, જોકે ટ્રમ્પે આ આરોપોને નકાર્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી જ્યુડિશિયરી કમિટી દ્વારા બંધબારણે સાક્ષીઓના નિવેદનો લેવાઈ રહ્યા છે અને કેટલીક સુનાવણી જાહેરમાં પણ હાથ ધરાઈ હતી. બુધવારે ટ્રમ્પને જાતે અથવા તો વકીલ મારફત હાજર રહેવા કમિટીએ જણાવ્યું હતું.