CM યોગી આદિત્યનાથે નિહાળ્યો વેલી ઓફ ફ્લાવર્સનો નજારો

કેવડિયા: ઉત્તરપ્રદેશનાં પ્રધાન યોગી આદિત્યનાથ કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતાં. ગુજરાતનાં મુખ્યપ્રધાન રૂપાણી સાથે ટોચના અગ્રણીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતાં. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરાયા બાદ યોગીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે વેલી ઓફ ફલાવરનો નજારો માણ્યો હતો, અને સેલ્ફી શોટ પણ આપ્યો હતો. તેમની સાથે CM રૂપાણી પણ જોડાયા હતાં. બાદમાં તેમનો કાફલો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે પહોંચ્યો હતો.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી ૧૫મી ડિસેમ્બરે આવશે. વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો આવનારા છે તે અંતર્ગત આજે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કેવડિયા ખાતે સરદાર સાહેબના દર્શન કર્યા હતાં.