6 મેએ જાહેર થશે RTE પ્રથમ પ્રવેશ યાદી, 20 હજારથી વધુ બાળકોને પ્રવેશ

અમદાવાદઃ 25 એપ્રિલના રોજ રાજ્યભરના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આગામી 6 મેના રોજ પ્રવેશની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે. ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજી કરનારા બાળકોની કેટેગરી વાઈઝ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીને આરટીઈ અંતર્ગત પ્રવેશ મળશે તે વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. જો વિદ્યાર્થીના વાલીઓ એડમિશન કન્ફર્મ નહી કરાવે તો, તે વિદ્યાર્થીનું એડમિશન રદ કરી દેવામાં આવશે.

આરટીઇ એડમિશન માટે અત્યારેમાં ફોર્મ ભરવાનું કાર્ય ચાલી રહી છે. એડમિશન ફોર્મ ભરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 15મી એપ્રિલની અંતિમ મુદતને વધારીને 25 એપ્રિલ કરવામાં આવી છે. આરટીઇ એડમિશનની પ્રથમ યાદી 6 મેના રોજ જાહેર થશે. તે યાદીમાં જેટલા વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હશે તે વિદ્યાર્થીના વાલીએ જે તે શાળામાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે, જેણે એડમિશન કન્ફર્મ નહીં કરાવ્યું હોય અને એડમિશન રદ થયું હશે ત્યાર બાદ પ્રથમ રાઉન્ડના અંતે વંચિત વિદ્યાર્થીઓને એસએમએસ દ્વારા ખાલી બેઠક અંગે જાણ કરવામાં આવશે.

તેથી આ વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠક પર એડમિશન મેળવી શકે. જે વિદ્યાર્થીને એસએમએસ ના મળ્યો હોય તે વિદ્યાર્થીના વાલી આરટીઈની વેબસાઈટ પર નવી ચોઈસ ભરી શકશે, જેથી કાર્યવાહી પૂરી થાય. પ્રથમ યાદીમાં વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને બીજી યાદીમાં સમાવી લેવામાં આવશે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ માટે ૧૯ હજાર બેઠકો સામે ગત વર્ષે ૨૮ હજારથી વધુ ફોર્મ ભરાયાં હતાં. આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં પોતાનાં સંતાનોના પ્રવેશ મેળવવા ઈચ્છતા અરજદારો ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ સાથેની અરજી રપ એપ્રિલ સુધીમાં શહેરના કોઈ પણ રિસીવિંગ સેન્ટરમાં જમા કરાવી શકશે. ગત વર્ષે રાજ્યભરમાં આરટીઈ હેઠળ એક લાખ એંશી હજારથી વધુ ફોર્મ ભરાયાં હતાં આ વર્ષે તેનાથી વધુ ફોર્મ ભરાવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે ૧૦ હજાર જેટલી અરજીઓ આવતી હોય છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યનાં મળીને કુલ ર૦ હજારથી વધુ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ અપાશે. શહેર અને ગ્રામ્ય ગુજરાતી માધ્યમની ૪૪૦, હિન્દીની ૮૦, અંગ્રેજીની ૨૫૫ અને ઉર્દૂ માધ્યમની ત્રણ તેમજ સીબીએસઈની તમામ શાળાઓને આરટીઈ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે.