અમદાવાદમાં ઠંડકનો અહેસાસ, ગુજરાતના 129 તાલુકાઓમાં વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે. રાજ્યનાં 129 તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૂરત, નવસારી અને પંચમહાલ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સૂરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૨૨૦ મી.મી. એટલે કે ૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે જાંબુઘોડામાં પાંચ ઇંચ અને ચીખલી તાલુકામાં ૧૩૭ મી.મી એટલે કે સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યનાં ૨૫ તાલુકાઓમાં બે ઇંચ થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજયના કુલ ૧૨૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત ગણદેવી, બોડેલી, અને વાંસદામાં ચાર ઇંચથી વધુ, મહુવા(સૂરત), વઘઇ, વ્યારા, સૂરત શહેરા, દોલવાણ, ચુડા, છોટાઉદેપુર, સિંગવાડ, લીમખેડા, ઉચ્છલ અને વાપી મળી કુલ ૧૧ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને ૪ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે કામરેજ, મોરવા હડફ, દાહોદ, માંગરોળ, સુબીર, બારડોલી, વાલોદ, માંડવી(સુરત), જલાલપોર, નવસારી અને આહવા મળી કુલ ૧૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

ગોધરા, ઝાલોદ, ખેરગામ, માલપુર, ઘોઘંબા, બાલાસિનોર, ફતેપુરા, નિઝર, સોનગઢ, કુકરમુંડા, કડાણા, વાલીયા, સાગબારા, ક્વાંટ, ગરબાડા, સંજેલી, સંતરામપુર, ઓલપાડ, મેઘરજ, લીમડી, વાઘોડિયા, ખંભાત, ગળતેશ્વર, વાગરા, આમોદ, જેતપુર પાવી, હાલોલ, ધાનપુર, મહુવા(ભાવનગર), નેત્રાંગ, નાંદોદ, ચોર્યાસી, વલસાડ, સંખેડા અને લૂણાવાડા મળીને કુલ ૩૫ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને બે ઈંચથી ઓછો વરસાદ તેમજ અન્ય ૨૨ તાલુકાઓમાં અડધા ઈંચથી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે ૪૩ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સવારે છ થી આઠ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૪૦ મી.મી. એટલે કે પોણા બે ઇંચ અને દાહોદ જિલ્લાના ગરબાડામાં બે કલાકના સમયગાળા દરમિયાન ૩૫ મી.મી. એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે વલસાડ, ધરમપુર, દાહોદ અને ગણદેવી તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.