રાહુલ ગાંધીનો વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ, મોદી સરકારની કરી ટીકા

વડોદરાઃ ગુજરાત પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદીનુ ધ્યાન નોકરીઓ આપવા પર નથી. રાહુલે જણાવ્યું કે અત્યારે જે લોકો સેલ્ફી લઈ રહ્યા છે તે મેડ ઈન ચાઈના સેલ્ફી છે, હું ઈચ્છું છું કે ચીનમાં લોકો મેડ ઈન ઈન્ડિયા વાળી સેલ્ફી લે.

રાહુલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે જો અમે લોકો સત્તા પર આવીશું તો શીક્ષણ અને નોકરીઓ વધારવા પર સૌથી વધારે ધ્યાન આપીશું. રાહુલે જણાવ્યું કે લોકો સાથે સંવાદ કરવો જરૂરી છે. પીએમ મોદી મેડ ઈન ચાઈના સેલ્ફી લઈ રહ્યા છે. તો આ સીવાય વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ સંઘ પર નિશાન સાધતા જણાવ્યું હતુ કે સંઘંમાં એક પણ મહિલા સભ્ય નથી. રાહુલે સંક્પ ભૂમિ પર જઈને બી.આર.આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાહુલે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે શું તમે સ્ટાર્ટ અપ ઈન્ડિયાનું નામ સાંભળ્યું છે? જય શાહ તેના આઈકન છે. રાહુલે જણાવ્યું કે જય શાહ કેસ મામલે પ્રધાન ચોકીદાર ચૂપ છે. પહેલા મોદી સરકારે બેટી બચાઓ અભિયાન શરૂ કર્યું હતું અને અત્યારે બેટા બચાઓ અભિયાન તેઓ ચલાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ખેડામાં યોજેલી એક સભા દરમિયાન જણાવ્યું હતુ કે કોંગ્રેસ સરકાર લોકોની વાત સાંભળશે કારણકે લોકોની વાત સાંભળ્યા વગર વિકાસ થઈ શકતો નથી. રાહુલે વધુમાં જણાવ્યું કે ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે જ્યારે આ લોકો ખેડુતોની જમીન હડપ કરવા માંગે છે. ચીનમાં એક દિવસમાં 5 હજાર નોકરીઓ તૈયાર કરવામાં આવે છે જ્યારે આપણા દેશમાં 450 જ નોકરીઓ તૈયાર થાય છે.

રાહુલ ગાંધીએ જીએસટી મુદ્દે વાત કરતા જણાવ્યું કે જીએસટી અમારી શરૂઆત હતી, અમે લોકો એક દેશ અને એક ટેક્સ ઈચ્છતા હતા. મોદી સરકારે લોકોને કશું જ પૂછ્યા વગર નોટબંધીનો નિર્ણય લઈ લીધો, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે લોકોની વાત સાંભળીશું, અમારા મનની વાત નહી સંભળાવીએ.