પીએમ નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર હલ્લાબોલ

અમદાવાદઃ ભાટમાં ગુજરાત ગૌરવયાત્રા સમાપન પ્રસંગે કાર્યકર્તાઓ અને પેજપ્રમુખોને સંબોધનની શરુઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ… આજે તો વટ પાડી દીધો તમે…કેસરીયા મહાકુંભ લહેરાઇ રહ્યો છે…કહીને સૌને ખુશખુશાલ કરી દીધાં હતાં.આ બાદ તેમણે હિન્દીમાં સંબોધન શરુ કર્યું હતું. પીએમના સંબોધનના પ્રમુખ અંશ…સમર્થકોના સામર્થ્યને હું જાણું છું.

રાજનીતિક આંદોલન હોય કે સામાજિક આંદોલન હોય કોંગ્રેસીઓએ અમારા કાર્યકર્તાઓને જેલમાં પૂરી દેવાનો અત્યાચાર ડર્યા વિના સહન કર્યો છે.

આજે ભાજપનો વિજય ધ્વજ હિન્દુસ્તાનમાં ચારે કોર ફરકાવવાની તક ગુજરાતના કાર્યકર્તાઓને આભારી છે.

તહેવારના દિવસોમાં નવરાત્રિ પછીના દિવસોમાં કામકાજના દિવસોમાં બીજું કંઇ કામ કરવું મુશ્કેલ છે ત્યારે પક્ષના ઇતિહાસમાં કાર્યકર્તાઓનો આટલો મોટો કેસરીયો મહાકુંભ મેં કદી નથી જોયો. સતયુગ હોય કે કળિયુગ યજ્ઞમાં વિધ્ન નાંખવાવાળા આવતા જ રહેશે. વિધ્ન વચ્ચે ચૂંટણીયજ્ઞનું કામ ચાલુ રાખવાનું છે.

આ વિજયયાત્રા કોંગ્રેસને પરેશાન કરી રહી છે. જે પાર્ટીએ અનેક સરકારો, મુખ્યપ્રધાનો અને એક જ પરિવારમાંથી આટલા નેતાઓ આપ્યાં છે તેમાંથી જે ભાષા બહાર આવી છે તેથી વિચાર આવ્યો કે તેમની આ હાલત કેમ થઇ. નકારાત્મક પ્રચારના આધારે ચૂંટણી જીતવાનો તેમનો પ્રયત્ન સફળ નહીં થાય.જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આવો તાવ વધુને વધુ આવી જાય છે. સરદાર પટેલની દીકરી મણિબહેન સાથે કોંગ્રેસે શો વ્યવહાર કર્યો છે તે કોણ નથી જાણતું. મોરારજીભાઇને નાબૂદ કરવા આ પરિવાર તમામ તાકાતથી કામે લાગ્યો હતો. બાબુભાઇ જશભાઇની સરકારને પાડવા બધું કર્યું. ગુજરાત માટેનો તેમનો દ્વેષ રહ્યો છે.બલિ ચડાવવાની હોય તો તેઓ ગુજરાતની બલિ લે છે.

તેમના પક્ષના ગુજરાતીઓને પણ તેમણે અન્યાય કર્યો છે. જેણે સૌથી વધુ સીટ આપી તેવા માધવસિંહ સોલંકીનો એક ચિઠ્ઠી માટે ભોગ લઇ લેવાયો હતો.

મને જેલમાં નાંખવા અમિત શાહને જેલમાં નાંખ્યાં હતાં. આજે સત્ય સામે આવી ગયું છે અને અમે ક્યાં અને તમે ક્યાં છો તે જોઇ લો.

નર્મદા યોજના સમયસર પૂર્ણ થઇ હોત તો ગુજરાત આજે ક્યાં હોત? ..પણ ગુજરાતના બાળકમાત્રને ખબર છે કે તે માટે અમે કેટલો સંઘર્ષ કર્યો છે. ગુજરાતમાં મોદી સરકાર ન હતી ત્યારે વીસ વર્ષ વીતવા છતાં એકપણ નહેર નહોતી બની… તે આજે અમને પૂછે છે? આ દેશમાં અમે પ્રધાનમંત્રી સિંચાઇ યોજના નામનું સ્વપ્ન વાવ્યું છે. જે ખેડૂતો સુધી પહોંચતા સોનું પાકશે. કોંગ્રેસના રાજમાં બધા 90 ડેમના કામ અટકાયેલા પડ્યાં હતાં. કામ પૂર્ણ કરવાની તેમની રુચિમાં નથી.

મેં દિલ્હીમાં પ્રગતિ કાર્યક્રમ શરુ કર્યો છે જેમાં ભારત સરકારના જૂના પ્રોજેક્ટો બહાર કાઢી પૂરા કરાવી રહ્યો છું. 30-40 વર્ષથી જે યોજનાઓ બંધ પડી છે તેના પર કામ કરી 12 લાખ કરોડ રુપિયા આવા પ્રોજેક્ટોમાં ખર્ચ કર્યો છે.કોંગ્રેસ વિકાસના મુદ્દા પર હંમેશા ભાગતી રહી છે. મને ઘણી ઇચ્છા હતી કે તે આ મુદ્દે ચૂંટણી લડે. કોમવાદ, જાતિવાદ જેવા મુદ્દાઓ સાથે તે ચૂંટણી લડી. વિકાસના મુદ્દે લડવાની હિંમત ન હતી. કમ સે કમ આજના ગુજરાતમાં વિકાસના મુદ્દા પર વાત કરી રહી છે.

જ્યોતિસંઘના કાર્યક્રમમાં પંડિત નહેરુ વારંવાર જનસંઘ બોલતાં તે તેમનો ડર હતો આજે પણ જનસંઘથી ડરવું સ્વાભાવિક છે. કોમવાદી. ગાંધીના હત્યારા, શહેરી પાર્ટી કહી દર વખતે અમને ગાળો આપી. તેમની બધી વાતોનો જનતાએ ઠોકીને જવાબ આપી દીધો. વિકાસને નફરત કરી કોંગ્રેસ પાર્ટીના મુખમાં વિકાસ શબ્દ આવી ગયો.

જે જામીન પર છૂટીને આવ્યાં છે, મા-બેટા જામીન પર આવ્યાં છે તે અમને સવાલ પૂછે છે..આ કોંગ્રેસ પાર્ટી જમાનતી પાર્ટી છે. મને ગુજરાતની જનતા પર ભરોસો છે. કોંગ્રેસ માટે તાળી વગાડે છે, ગીત ગાય, છે તેમને પૂછું છું કે કોંગ્રેસની સ્થિતિ સારી હતી તો તેમની પાર્ટીના 25 ટકા લોકો ચૂંટણી પહેલાં તેમને છોડી ગયાં એનું શું કારણ છે. પોતાના ગિરેબાનમાં ઝાંકો, શું હાલત થઇ છે તમારી… તેમને પડકાર ફેકું છું કે વિકાસના મુદ્દે ચૂંટણી લડો.

આ દેશની બધી જ રાજકીય પાર્ટીઓ અને સરકારો ભેગા મળીને જીએસટીનો નિર્ણય કરે છે તેની બધાને ખબર છે એમાં ભારત સરકાર તેનો 30મો ભાગ હોય છે. કોંગ્રેસના લોકો જીએસટીના નામે જૂઠાણાં ચલાવવાનો અધિકાર નથી. એમાં તમે પણ ભાગીદાર છો. વેપારીઓ જોડે વાત કરી ત્યારે જીએસટી સરકારી માથાકૂટમાંથી મુક્તિ લાગી છે. જીએસટીની ખામી દૂર કરવા વચન નહીં પ્રયત્ન કરે છે આ સરકાર. મને વિશ્વાસ છે કે વેપારીઓને આ વ્યવસ્થામાં સરળતાની માગણી છે તેવા દરેક મુદ્દા મારા તરફથી જીએસટી કાઉન્સિલમાં મૂકવામાં આવે છે તેનો વિશ્વાસ આપું છું.

વેપારીઓને કહેવા માગું છું કે સરકારના શબ્દમાં ભરોસાની તાકાત છે. આ ભાજપ છે, કોંગ્રેસ નથી. તમારા જૂના ચોપડાનો કોઇ પણ હિસાબકિતાબ નહીં કરવામાં આવે. યુવા વેપારી ઇમાનદારીના રસ્તે આગળ વધવા માગે છે ત્યારે સરકારની એ જવાબદારી છે અને એ માટે કામ થશે.ક્યાંક વાંચ્યું કે કોંગ્રેસ નોટબંધીના 8મી નવેમ્બરના દિવસે  એ લોકો બ્લેક મની ડે મનાવવાના છે. રુપિયાની થપ્પીઓ ગઇ ને?. ઊભરો આવે છે ઊભરો… અમે બ્લેક મની મુક્તિ ડે મનાવવાના છીએ.. મેં પહેલાં પણ કહ્યું છે કે સરકારની તિજોરી પર કોઇનો પંજો પડવા નહીં દઉં.

મને ખબર પડે છે કોંગ્રેસને તકલીફ શું છે. દુખે છે પેટને કૂટે છે માથું. નોટબંધીના કારણે 3 લાખ કરોડ રુપિયા જેનો કોઇ હિસાબ ન હતો તેનું સરનામુ સરકારને હાથે લાગી ગયું છે. તેના કારણે નકલી કંપનીઓ પકડાણી. આપણાં દેશમાં નાની નાની વાતમાં રસ્તા પર ઉતરી આવે છે. પણ આટલી બધી કંપનીઓ બંધ થઇ પણ કોઇ આંદોલન નથી કોઇ પૂતળાં નથી બાળતું…

મારા માટે સૌથી મોટો દેશ છે. ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરનારા લોકો છીએ. લોકોને સમજણ નથી પડતી કે સંગઠન કેટલું ગ્રાસરુટ પર કામ કરી શકે છે. તેમના માટે વંશવાદનો જંગ છે પણ વિકાસવાદ જીતવાનો છે. કોંગ્રેસના લોકોની સોચ કેવી છે તેનો એક નમૂનો કહી લોકોને કહું કે તેમને ઓળખો. એક કિસ્સો કહું કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાની હું ખૂબ ઇજ્જત કરતો હતો. તેઓ હું સીએમ હતો ત્યારે મારા રુમમાં આવ્યાં અને મને ઝૂકીને પ્રણામ કર્યાં. મને તેમણે કહ્યું હતું કે આ સુજલામ-સુફલામ યોજનાથી જે પાણી લાવ્યાં છો તેનાથી તરસ્યું ગુજરાત તમને કદી ભૂલશે નહીં. કોંગ્રેસે શું કર્યું… કોંગ્રેસની રાજસ્થાનની સરકારે કેન્દ્રને ચિઠ્ઠી લખી હતી કે પાણી તમે નહીં લઇ શકો… અશોક ગહેલોતની એ ચિઠ્ઠી આજે પણ સીએમઓમાં છે. રાજસ્થાન કોંગ્રેસના નેતા અશોક ગહેલોત અમને સબક શીખવવા આવ્યાં છે… સુજલામ સુફલામે ઉત્તર ગુજરાતને બચાવ્યું તેનો આ લોકોએ વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ પાર્ટી પાસે સત્તાનો ખેલ, પરિવારને, વંશવાદને બચાવવો એકમાત્ર કામ છે. તેમાં એવા નેતા છે જે જવાબનો સવાલ માગે છે… 22 તારીખે ફરી એકવાર આવી રહ્યો છું.ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના મારા ડ્રીમ પ્રોજેક્ટ માટે. એક અદભૂત કામને પૂર્ણ કરવા માટે આનંદીબહેન અને વિજયભાઇએ પૂર્ણ કર્યો છે તેમનો આભાર માનું છું. ત્યાં પહોંચવા ખૂબ ઉત્સુક છું. ભવિષ્યમાં આ રુટ હજીરા-ઘોઘા-દહેજનો બની જશે.દેશના પેટ્રોલ ડીઝલ બચશે. ફેઝ ટુ માં ખાનગી વાહનો પણ જઇ શકશે.

સાડા છ કરોડ ગુજરાતીઓનો એક મંત્ર હોવો જોઈએ… હું છું વિકાસ… હું છું ગુજરાતઃ

સૌને દીપાવલિની શુભકામનાઓ આપું છું…