PM મોદીના પત્ની જશોદાબહેન અકસ્માતમાં ઈજાગ્રસ્ત, એકનું મોત

અમદાવાદ- પીએમ નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેન મોદીને રાજસ્થાનના ચિત્તોડગઢમાં અકસ્માત નડ્યો છે. જશોદાબહેનને આ અકસ્માતમાં મસ્તિષ્કના ભાગે ઇજા પહોંચી હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે…….રાજસ્થાનમાં થયેલા આ કાર અકસ્માતમાં એક વ્યકિતના મોત થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલિસે જણાવ્યાં પ્રમાણે જશોદાબહેનને ગંભીર ઇજા થઇ નથી. જશોદાબહેન ઇનોવા કારમાં પોતાના સંબંધીઓ સાથે એક લગ્નપ્રસંગમાં રાજસ્થાનના કોટા ગયાં હતાં, જ્યાંથી પરત ફરતાં તેમની કારને અકસ્માત નડ્યો છે.ચિત્તોડગઢના ડીએમના જણાવ્યાં પ્રમાણે જશોદાબહેન સ્વસ્થ છે અને તેમનું પ્રાથમિક ચેક અપ કરી લેવામાં આવ્યું છે.

લગ્નમાં હાજરી આપી ગુજરાત પરત ફરતાં કોટા-ચિત્તોડગઢ હાઇ વે પર તેઓની કાર અકસ્માતગ્રસ્ત થઇ હતી. તેમને અને અન્ય ઇજાગ્રસ્તોને હાલ ચિત્તોડગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

એક્સિડન્ટ સમયે તેમની સાથે સાત વ્યક્તિ હતાં જેમાંથી બસંતભાઇનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે ડ્રાઇવર જયેન્દ્રને ગંભીર ઇજાઓ પહોંચી છે. જશોદાબહેન કુટુંબીજનો સથેબરાનના અત્રુ ગામેથી ઊંઝા પરત ફરી રહ્યાં હતાં.