મુખ્યપ્રધાને જાહેર કરી વોટર ટ્રીટેડ વોટર પોલિસી, જાણવા જેવું…

  • પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રીસોર્સ, રીટ્રીટ, રીડ્યુસ અને રીયુઝને અપનાવો : દરેક નગરપાલિકા, મહાનગરપાલિકા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરી રીટ્રીટ વોટરનો મહત્વનો સ્ત્રોત તૈયાર કરે
  • ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનના હસ્તે ‘‘રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી’’નું અનાવરણ

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી જાહેર કરી હતી. પાવરગ્રીડની જેમ વોટરગ્રીડ તૈયાર કરનારા ગુજરાત રાજ્યની આ પોલીસી દ્વારા ગંદા પાણીના શુદ્ધિકરણનું ‘‘વોટર રીટ્રીટ મેનેજમેન્ટ’’ સમગ્ર દેશને રાહ ચીંધશે તેવો વિશ્વાસ આ સમયે વ્યક્ત કર્યો હતો.રાજ્યભરની દરેક નગરપાલિકા-મહાનગરપાલિકા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરીને રીટ્રીટ વોટરનો મહત્વનો સ્ત્રોત તૈયાર કરે એવો અનુરોધ સીએમે કર્યો હતો.  રાજ્ય સરકારનો બીજો નિર્ધાર ભરૂચ નજીક ભાડભૂત યોજનાને સાકાર કરવાનો છે જે અંતર્ગત ભાડભૂત યોજનાના મુખ્ય વિયર રૂા.૨૮૦૦ કરોડના કાર્ય માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થશે જ્યારે ત્રીજો નિર્ધાર એટલે ‘‘રીયુઝ’’ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી’’ તૈયાર કરવાનો હતો જે આજે સાકાર થઇ રહ્યો છે. રાજ્ય સરકારે હવે પાણીની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા નર્મદા અને ભુગર્ભજળ જેવા કુદરતી સ્ત્રોત ઉપરાંત અન્ય સ્ત્રોત શોધીને નક્કર આયોજન હાથ ધર્યુ છે.આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ગટરના શુદ્ધ કરાયેલા પાણીના પુન:ઉપયોગ અંગેની રાજ્ય સરકારની નવતર નીતિને આવકારીને ઉમેર્યું કે, આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને ચોક્કસ રાહ ચીંધશે. રાજ્ય સરકારના આ નવતર અભિગમને પરિણાામે ભૂગર્ભ અને સરફેસ વોટરનો વપરાશ ઘટશે અને રીટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને સસ્તાદરે મળે તો ઉદ્યોગકાર-નાગરિકોના નાણાંની બચત થશે. સાથે સાથે આ પોલીસીના માધ્યમ દ્વારા ટ્રીટમેન્ટ કરાયેલું પણી પણ  ઉદ્યોગગૃહોને પુરૂ પડાશે. જેનાથી ભૂગર્ભ જળનો વપરાશ ઓછો થશે.

નીતિના લક્ષ્યાંક

  • તમામ સ્થાનિક સંસ્થાના વિસ્તારમાં લઘુતમ ૮૦ ટકા કવરેજ કરી ગટરના પાણીનું એકત્રીકરણ કરવું.
  • એકત્રીત થયેલ ગટરના પાણીના ૧૦૦ ટકા જથ્થાનું નિર્ધારિત માપદંડો મુજબ શુદ્ધિકરણ કરવું.
  • નીતિમાં જણાવ્યા મુજબની સમયમર્યાદામાં, દરેક શહેરી વિસ્તારમાં શુદ્ધ પાણીના કુલ વપરાશના ઓછામાં ઓછા ૨૫ ટકા જથ્થા જેટલું પાણીનું ગટરના પાણીનો શુદ્ધિકરણ કરી પુનઃઉપયોગ કરવો.
  • ૨૦૨૫ સુધીમાં ગટરના શુદ્ધિકરણ કરાયેલ પાણીના જથ્થાનો ૭૫ ટકા પુનઃઉપયોગ કરવો.
  • ૨૦૩૦ સુધીમાં ગટરના શુદ્ધિકરણ કરાયેલ પાણીના જથ્થાનો ૧૦૦ ટકા પુનઃઉપયોગ કરવો.

પાણીના વપરાશકર્તા

૧) થર્મલ પાવર પ્લાન્ટ :

  • સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે નગરપાલિકા/સ્થાનિક સંસ્થાની હદથી ૫૦ કિમી. અંતરની મર્યાદામાં આવેલ હોય તેવા થર્મલ પાવર પ્લાન્ટ (TPP) માં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરાશે.

ર) ઓદ્યોગિક એકમો :

  • સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે નગરપાલિકા/સ્થાનિક સંસ્થાની હદથી ૫૦ કિમી. અંતરની મર્યાદામાં આવેલ હોય તેવા જીઆાઇડીસી, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં આવેલ ઓદ્યોગિક એકમો, ઓદ્યોગિક પાર્ક અને મોટા ઓદ્યોગિક એકમો જેમાં દૈનિક ઓછામાં ઓછું એક લાખ લિટર પાણી પીવાના ઉપયોગ સિવાયના અન્ય કામોના વપરાશમાં લેવાતું હોય ત્યાં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.
  • જ્યાં પાણીના વપરાશ દરમિયાન મનુષ્ય સાથે સીધો સંપર્ક થાય અથવા મનુષ્ય દ્વારા સીધી ઉપયોગમાં લેવાતી વસ્તુ પ્રોસેસ થતી હોય ત્યાં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે નહી. પરંતુ આવા એકમો દ્વારા માનવ સંપર્ક  રહિત અન્ય ઉપયોગ (જેમ કે બાગ બગીચા, ટોઇલેટ ફ્લશીંગ વગેરે) માટે શુદ્ધિકરણ થયેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.

બાંધકામ ક્ષેત્રે ઉપયોગ :

  • ટેન્કર ફીલીંગ પોઇન્ટ મારફત.
  • વિકસતા વિસ્તારોમાં શક્ય હોય તો અલાયદી પાઇપલાઇન નાખી ઉપયોગ

વાણિજ્ય સંકુલો અને સંસ્થાઓ :

  • મોટા વાણિજ્યક સંકુલો અને સંસ્થાઓમાં માનવસંપર્ક રહિત વપરાશ જેમ કે ટોયલેટ ફ્લશીંગ, અગ્નિશામક અને બાગ-બગીચામાં વપરાશ માટે ઉપયોગ.

મ્યુનિસિપલ વપરાશ :

  • ઉદ્યાનો અને બગીચાઓની જાળવણી અને શહેરી લેન્ડસ્કેપિંગ વિકસાવવી.
  • તળાવો અને નદીઓનું રીજ્યુવેશન.
  • ફાયર બ્રિગેડ વગેરે માટે પાણી પુરવઠો
  • ગટરના શુદ્ધિકરણ કરેલ પાણી તરફની સામાજિક સંવેદનશીલતા અને જાહેર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેતા, હાલમાં તે પીવાનાં હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં અને સીધા માનવસંપર્ક થતો હોય તેવા કામોમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે નહીં.
  • ભવિષ્યમાં પાણીની માંગમાં વધારો, શુદ્ધિકરણની ટેક્નોલોજિમાં સુધારા, સ્પર્ધાત્મક દરો અને જાહેર અભિગમમાં બદલાવ થતાં, પીવાના હેતુ માટે ગટરના શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ અને ભવિષ્યમાં વિચારી શકાશે.

શુદ્ધિકરણ કરેલ પાણીના કનેક્શન

  • શુદ્ધિકરણ કરેલ પાણીની ઉપલબ્ધતા થતા વપરાશકર્તાઓને મળતા શુદ્ધ પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે.

પ્રોજેક્ટ

  • શુદ્ધિકરણ કરેલ પાણીનો પુનઃ ઉપયોગ કરી શકે તેવા વપરાશકર્તાઓને ધ્યાને લઇ શુદ્ધિકરણ કરેલ પાણીના ઉપયોગના પ્રોજેક્ટ બનાવવામાં આવશે. SHPC દ્વારા પ્રોજેક્ટ્સની સૈદ્ધાંતિક મંજૂરી અપાશે.

ગવર્નન્સ વ્યવસ્થા

૧) સ્ટેટ લેવલ હાઇ પાવર કમિટી (SHPC)

  • નીતિના અમલીકરણ અંગે નિર્ણય લેવા રાજ્યસ્તરની સર્વોચ્ચ સંસ્થા રહેશે.SHPC ની મુખ્ય ભૂમિકામાં પ્રોજેક્ટની મંજૂરી, શુદ્ધિકરણ થયેલ પાણીની કિંમતની મંજૂરી અને ફાળવણી, મોનીટરીંગ, નીતિ સલાહકાર, વિવાદોનાં સમાધાન/મુદાઓ વગેરેનો સમાવેશ થાય છે.

૨) સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (SLTC)

  • સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (SLTC) દ્વારા પ્રોજેક્ટની તાંત્રિક મંજૂરી, પ્રોજેક્ટના કરારનામાનો મુસદો , પ્રોજેક્ટ અમલીકરણની દેખરેખ, સંચાલન અને મરામત માટે માર્ગદર્શિકા  આપવી વગેરે તેમજ સરકારશ્રી અને SHPC દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય કાર્યો કરવાના રહેશે.

૩) TWW સેલ

  • મુખ્ય ઇજનેરના સ્તરના અધિકારીના નેતૃત્વ હેઠળ રચવાનું રહેશે.
  • ડીપીઆર બનાવવાની કામગીરી, એસટીસી/એસએચપીસીને સહાય કરવી અને પ્રોજેક્ટનું સંકલન અને અમલીકરણ.