રાજ્યમાં કોરોનાના 362 નવા કેસઃ 466 લોકો સાજા થયા

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 362 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 466 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 24 લોકોનાં મોત નિપજ્યાં છે.


ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 362 વધુ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને એક દિવસમાં 4 પ્રાથમિક રીતે કોરોનાને કારણે લોકોનાં મોત નિપજ્યા છે. તો 20 લોકો અન્ય ગંભીર બીમારીઓથી પીડાતાં હતા, તે લોકોનાં મોત નિપજ્યા છે. આમ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે કુલ 3246 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં હવે કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 8904 થયો છે. તો કોરોના સામે મોતનો કુલ આંક 537એ પહોંચ્યો છે. અને ડિસ્ચાર્જની સંખ્યા થઈ છે. આજે 466 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે તેવું આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ 36.5 ટકા થયું છે. ભારત કરતાં પણ ગુજરાતનો રિકવરી રેટ વધી ગયો છે. 

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ દર્દીનો આંક 8904 થયો છે. જેમાંથી 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5091 દર્દીઓની હાલત સ્થિર છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક 3246 અને મોતનો આંક 537 થયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ મોતની વિગત જોઈએ તો, અમદાવાદમાં 21 મોત, રાજકોટ-સુરત અને વડોદરામાં એક-એક દર્દીનાં મોત નિપજ્યા છે.

વડોદરામાં 27, સુરતાં 30, ભાવનગરમાં 2, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 3, પાટણમાં 2, છોટા ઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં 7, ગીર સોમનાથમાં 5, ખેડામાં 3, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, અરવલ્લીમાં 1, મહીસાગરમાં 2, દેવભુમિ દ્વારકામાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 362 કેસ નોંધાયા હતા. જેથી અત્યાર સુધીમાં ગુજરાતમાં Covid 19ના કુલ 8804 દર્દીઓ થયા છે, જે પૈકી 30 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 5091 સ્ટેબલ છે. 3246 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 537 લોકોનાં મોત નિપજ્યાં છે.