રાજ્યમાં કોરોના બોમ્બ ફૂટ્યોઃ 24 કલાકમાં 498 કેસ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસના કુલ 498 જેટલા કેસો નોંધાયા છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 29 જેટલા લોકોના મોત થયા છે. કુલ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 19617 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1219 અને ડિસ્ચાર્જનો કુલ આંક 13324 થયો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 498 કેસોમાંથી અમદાવાદમાં 289 નોંધાયા છે. જ્યારે સુરતમાં ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સુરતમાં 92 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટ 8, વલસાડ 7, મહેસાણા 6, પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5-5, બનાસકાંઠા-પંચમહાલ 4-4, ભરૂચ-છોટા ઉદેપુર 3-3, ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીર સોમનાથ-નવસારીમાં 2-2 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 19,617 પર પહોંચ્યો છે. અને તેમાંથી હાલમાં 5074 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 5013 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાનો કુલ ડિસ્ચાર્જનો આંક 13,224 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1219 થયો છે. છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાંથી અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.