અમદાવાદઃ નવરાત્રિ-2018ની શેરી-મહોલ્લા, પાર્ટી-પ્લોટ, ક્લબ, સોસાયટીમાં સહુ કોઈ ગરબાની મોજ માણી રહ્યું છે. ગુજરાત આખાયમાં તમામ પરગણા-પ્રાંતના લોકો રાસ-ગરબાને પોતાની આગવી શૈલીમાં માણે છે.

રાત્રે ગોગલ્સ, ફાળીયા, કેડીયા, બ્રાઇડ-ગ્રૂમ, પોલીસ-સૈનિકો, આદિવાસી , માલધારી, દેવી દેવતા જેવી અનેક વેશભૂષા માં ગરબા સ્થળ પર લોકો જોવા મળે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન શેરી, મહોલ્લા સહિત વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નવ દિવસ સુધી ચાલતા આ ગરબા ઉત્સવમાં એક દિવસ વેશભૂષાનો પણ રાખવામાં આવે છે. અને જે દિવસે વેશભૂષા હોય તે દિવસે નાના, મોટા સહિત તમામ લોકો અલગ વેશ ધારણ કરે છે. અને આ રીતે પણ ગરબાનો એક અલગ જલસો ઉજવાય છે.
(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)