દહેજ જીએનએફસીમાં ભોપાલ ટ્રેજેડી જેવો ઝેરી ગેસ લીકેજ, 37ને અસર

દહેજઃ જીએનએફસીના પ્લાન્ટમાં ગત મોડી રાત્રે ગેસ લીકેજ થયો હતો જેમાં ફોકજીન નામના ઝેરી ગેસની અસર 37 ગ્રામજનોને થઈ હતી. ભરુચ જિલ્લામાં દહેજના રહીયાદ સ્થિત જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં મોડી રાતે ગેસ લીકેજનો બનાવ બનતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાના પગલે લોકોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. ગેસ લીકેજમાં ટેકનિકલ ખામીના કારણે ફોકજીન નામનો ઝેરી ગેસ લીકેજ થયો હતો. 37 ગ્રામજનોને ગેસની અસર થતાં તમામ અસરગ્રસ્તોને ભરુચની જીએનએફસી નર્મદા નગરમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.

વહીવટીતંત્ર અને જીએનએફશી દ્વાવરા સાવચેતી દાખવતાં રહીયાદ ગામ ખાલી કરાવી દીધું હતું. કંપનીના ગેટ ઉપર ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવતા વાતાવરણ ગરમાયુ હતું. જેથી કંપનીના ગેટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગત રાત્રિથી જ ગ્રામજનોએ જીએનએફસીની શિફ્ટ ડ્યૂટીની બસો અટકાવાઈ દેવાઇ હતી.

ફોકઝીન ગેસ લિકેજના કારણે ગ્રામજનોને આંખોમાં બળતરા, ઉબકા આવા, ઉલટી થવના ચિહ્નો દેખાતાં તાત્કાલિક કંપની અને વહીવટીતંત્ર દ્વારા લીકેજ પર કાબૂ મેળવી અને અસરગ્રસ્તોની સારવાર શરુ કરવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. ભોપાલ ગેસ લિકેજની દુર્ઘટનામાં જેવો ગેસ લીક થયો હતો તેના જેવો જ આ ફોકઝીન ગેસ ખતરનાક હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે ઘટનાના કલાકો બાદ પણ જીએનએફસી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી.