સાબરમતી આશ્રમમાં કોંગ્રેસનું 24 કલાકનું ઉપવાસ આંદોલન…

અમદાવાદ-શહેરના ગાંધી આશ્રમ-કલેકટર કચેરી પાસે 7 સપ્ટેમ્બરના કોંગ્રેસના નેતાઓ કાર્યકરો 24 કલાકના ઉપવાસ પર બેઠાં છે. આ વખતે કોંગ્રેસનો મુદ્દો છે….સરકાર ખેડૂતોના દેવા માફ કરે., સાથે ખેડૂતોના અનેક પ્રશ્નો નો સમાવેશ પણ થાય છે. જેમાં ખેડૂત ને ટેકાના ભાવ મળતા નથી., પાકનો વીમો.., સબસીડી પણ મળતી નથી.જગતનો તાત ખેડૂત વિસમ પરિસ્થિતિમાં ખેતી કરતો હોય છે. જ્યારે ખેડૂતની પરિસ્થિતિ વિપરિત હોય ત્યારે મોંઘાદાટ વિજળીના બિલો, ઘરનું રાશન પાણી, બાળકોનું મોંઘુ શિક્ષણ-ઉછેર અને ઘર ખર્ચમાં અત્યંત મુશ્કેલી સર્જાય છે. જેથી મુશ્કેલ પરિસ્થિતિ ભોગવતા ખેડૂતોની દેવાની માફી થવી જોઇએ.ખેડૂતોને લગતા આવા અનેક પ્રશ્નોને લઇ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે આગેવાન પરેશ ધાનાણી પણ જોડાયા હતા.

અહેવાલ–તસવીરઃઃપ્રજ્ઞેશ વ્યાસ