ગુજરાત સીએમની માછીમાર સહાય જાહેરાતઃ રુ. 4 લાખ આપશે

માંગરોળ– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સાગરખેડુ માછીમાર પરિવારો માટે માંગરોળમાં જાહેરાત કરતાં કહ્યું કે પાકિસ્તાન જેલમાં બંધક માછીમારના મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર તેના પરિવારજનોને 4 લાખ રુપિયાની સહાય આપશે..  માછીમારી દરમિયાન ગુમ કે લાપતા થવાના કિસ્સામાં અગાઉ મૃત્યુ સહાય આપવામાં 7 વર્ષનો સમય થતો હતો તે 1 વર્ષ માં જ આપી દેવાશે. આવા લાપતા કે ગૂમ માછીમારના પરિવાજનોને પણ 4 લાખની સહાય અપાશે.સીએમ વિજય રૂપાણીએ માગરોળમાં બંદર વિકાસકામોની કેટલીક જાહેરાતો કરી છે

માંગરોળ માટે કુલ રૂ. 1,173 કરોડના મૂલ્યના વિકાસકાર્યોની જાહેરાત

રૂ.૨૯૪ કરોડના ખર્ચે નવાબંદર ફિશિંગ હાર્બર
 નવાબંદરમાં રૂ. 294 કરોડના ખર્ચે 22 હેક્ટર ઓનશોર અને ઓફશોર જમીનમાં યુરોપિયન યુનિયનના ધારાધોરણો અનુસારનું ફિશિંગ હાર્બર. આ હાર્બર 1,000 બોટને સમાવી શકશે.

કુલ રૂ. ૮૮૦ કરોડના ખર્ચે માઢવાડ, પોરબંદર ફેઝ-૨, વેરાવળ ફેઝ-૨, અને સૂત્રાપાડા ખાતે ફિશિંગ હાર્બર
 રૂ. 160 કરોડના ખર્ચે માઢવાડમાં 22 હેક્ટરમાં ફિશિંગ હાર્બર બનશે, જેમાં કુલ 569 બોટ લાંગરી શકશે
 રૂ. 146 કરોડના ખર્ચે સૂત્રાપાડામાં 15 હેક્ટર જમીન ઉપર ફિશિંગ હાર્બર બનશે.
 આ ફિશિંગ હાર્બર 1,200 બોટને ધ્યાનમાં રાખીને બનશે.
 રૂ. 200 કરોડના ખર્ચે વેરાવળના વર્તમાન ફિશિંગ હાર્બરના વિકાસનો દ્વિતીય તબક્કો હાથ ધરાશે.
 વેરાવળમાં 4500 બોટ લાંગરી શકે એવી રીતે ફેઝ-2ની રચના
 રૂ. 373 કરોડના ખર્ચે પોરબંદર ફિશિંગ હાર્બરના વિસ્તરણનો દ્વિતીય તબક્કો હાથ ધરાશે
 આ તબક્કો 4,500 બોટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે