કેવી રીતે ઉજવશે દિવાળીનો તહેવાર મુખ્યમંત્રી?

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૮ ઓકટોબર-૨૦૧૯ને સોમવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮/૩૦ થી ૯/૦૦  સુધી નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્ર¬દાન કરશે.

મુખ્યમંત્રી વિક્રમ સંવત ર૦૭૬ના પ્રથમ દિવસે સવારે ૮/૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. તેઓ સવારે ૯/૦૦ કલાકે રાજ્યપાલને રાજભવન ખાતે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.

વિજયભાઇ રૂપાણી સવારે ૧૦/૩૦ થી ૧૧/૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્સી સર્કીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. આ પૂર્વે મુખ્યમંત્રી ૯/૪પ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી બપોરે ૧૧/૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ ઓફિસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેશે.