ધોરણ 1, 6 થી 8 અને 12ના પુસ્તકો બદલાશે, નવા 14 પાઠ્યપુસ્તકો તૈયાર

ગાંધીનગર: રાજ્યની પાઠ્યપુસ્તક મંડળે આવાનારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ઘોરણ 1, ધોરણ 6 થી 8 સુધી અને ધોરણ 12ના પાઠ્યપુસ્તકો બદલવાનો નિર્ણય કર્યો છે. નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો અભ્યાસ ક્રમમાં લેવાના રહેશે. તેના માટે કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાશે. જેમાં સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો બદલાશે.

ઉલ્લેખનીય છે કે ધોરણ. 1માં ગુજરાતી, ધોરણ. 6માં અંગ્રેજી, ધોરણ. 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનું નવું પુસ્તક આવશે. જ્યારે ધો.8માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાનના પુસ્તકો બદલાશે. આ ઉપરાંત, ધો.12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવાનો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ણય કરાયો છે.