ભાજપના 39મા સ્થાપના દિન નિમિત્તે 6 એપ્રિલે “ભાજપ બુથ પદયાત્રા” યોજશે

ગાંધીનગર- આગામી ૬ એપ્રિલ-૨૦૧૮ના રોજ ભાજપનો ૩૯મો સ્થાપના દિવસ છે. આ દિવસ એ ભાજપની વિચારયાત્રા અને વિકાસયાત્રા માટેનો ઐતિહાસિક દિવસ છે. ભાજપાના ઈતિહાસ અને સંસ્મરણોને યાદ કરવાનો દિવસ છે તેમજ ભાજપાના દરેક કાર્યકર્તા માટેનો ગૌરવ દિવસ છે. આ દિવસ નિમિત્તે આગામી ૬ એપ્રિલના રોજ ભાજપા દ્ધારા ગુજરાતના તમામ બુથો પર “ભાજપા બુથ પદયાત્રા” કાઢવામાં આવશે, એવો નિર્ણય પ્રદેશ ભાજપની બેઠકમાં લેવામાં આવ્યો હતો.ભાજપ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્‌” ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કે. સી. પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક મળી હતી.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૫મી માર્ચના રોજ “મનકી બાત” કાર્યક્રમના માધ્યમથી દેશભરની જનતા સાથે સીધો સંવાદ કરશે. “મનકી બાત” એ “લોકમન”નું પ્રતિબિંબ છે. “લોકજાગૃતિ”નું માધ્યમ છે, તેમજ “ન્યુ ઇન્ડિયા”ના નિર્માણ માટેની પ્રેરક દિશા છે. “મનકી બાત” દ્ધારા જનજીવનના અનેક વિષયોને આવરી લઈને હકારાત્મક, ઉત્સાહજનક અને પ્રેરણાત્મક પ્રસંગો દ્ધારા એક કાર્ય પ્રેરણા અને યોગ્ય દિશા મળતી હોય છે. લોકોની સહભાગીતા દ્ધારા આયોજનબધ્ધ રીતે આ કાર્યક્રમને આગામી ૨૫મી માર્ચના રોજ ભાજપા દ્ધારા ગુજરાતના તમામ શક્તિકેન્દ્રો પર કાર્યકરો તથા સમર્થકો સાથે સામૂહિક રીતે સાંભળવા માટેના કાર્યક્રમ યોજવા અંગેનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી ૬ એપ્રિલ-૨૦૧૮ના રોજ ભાજપાનો ૩૯મો સ્થાપના દિવસ છે. આ દિવસ એ ભાજપાની વિચારયાત્રા અને વિકાસયાત્રા માટેનો ઐતિહાસિક દિવસ છે. ભાજપાના ઈતિહાસ અને સંસ્મરણોને યાદ કરવાનો દિવસ છે તેમજ ભાજપાના દરેક કાર્યકર્તા માટેનો ગૌરવ દિવસ છે. આ દિવસ નિમિત્તે ૬ એપ્રિલના રોજ ભાજપ દ્ધારા ગુજરાતના તમામ બુથો પર “ભાજપા બુથ પદયાત્રા” કાઢવામાં આવશે. આ યાત્રામાં સમગ્ર ગુજરાતના દરેક બુથમાં ભાજપાના ઝંડા, ખેસ સહિત ઢોલ-નગારા સાથે ભાજપાની ઈતિહાસ ગાથા, સંસ્મરણો તેમજ કેન્દ્ર અને ગુજરાતની ભાજપા સરકારોની જનહિતની કામગીરીઓની માહિતી આપતી પત્રિકાઓ જન-જન સુધી પહોંચાડવામાં આવશે.