પ્રેમવિવાહઃ આ સમાજ પોતાના બંધારણ પ્રમાણે નક્કી કરશે કાર્યવાહી

અમદાવાદ : છેલ્લા થોડા દિવસોથી આંતરજ્ઞાતિય યુવક-યુવતીઓ પ્રમે લગ્ન કર્યા બાદ વિવાદો સર્જાવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અને આ લગ્ન લોહિયાળ પણ બન્યાં છે અને પોલીસ અને સોશિયલ મીડિયાની શરણે જવાનો પણ વારો આવ્યો છે. ત્યારે દાંતીવાડાનાં 12 ગામોનાં ક્ષત્રિય ઠાકોર સમાજે અનેક નિયમો બનાવ્યાં છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજની કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

દાંતીવાડાના જેગોલમાં રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક કાયદાઓ બનાવવામાં આવ્યાં હતાં. જેમાં જે છોકરી કોઇની સાથે ભાગી જાય તેમાં પિતાને 1.50 લાખ રૂપિયા અને જો દીકરો ભાગી જાય તો 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. આવા 9 મુદ્દાઓનું બંધારણ બનાવ્યું છે. દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવાસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બંધારણ ઘડવા જેગોલ ગામમાં આ નિયમો બનાવ્યા છે.

9 મુદ્દાઓનું બંધારણ

  • તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા
  • સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા
  • મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં
  • વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહીં
  • જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ પ્રસંગમાં જવું નહીં.
  • ક્ષત્રિય સમાજે કુંવારી છોકરીઓને મોબાઇલ આપવો નહિ અને જો મોબાઇલ પકડાશે તો તેની જવાબદારી તેના માતા પિતાની રહેશે
  • જે કોઈ છોકરી સમાજને નીચું જોવા જેવું કૃત્ય કરશે તો માતા-પિતાને બંધારણ મુજબ દોઢ લાખ જ્યારે છોકરાના માતા-પિતાને બે લાખ ચૂકવવાના રહેશે.