અમદાવાદઃ મંદિરમાં હત્યા કરનારા ઝડપાયાં

અમદાવાદ– શહેરના વાસણા સ્થિત લાવણ્ય સોસાયટીના વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં વેપારીની હત્યાના મામલામાં પોલિસે આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે સુરેશ શાહ હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.બહાર આવતી વિગત પ્રમાણે બે આરોપીમાંથી એક અમદાવાદનો રહેવાસી છે જ્યારે બીજો સુરેન્દ્રનગરનો રહેવાસી છે. આરોપી આલમ ખાન અને રફીક સુમરાન નામના બંને આરોપીઓએ મૃતકની દૈનિક અવરજવરની રેકી કરી હતી અને રુપિયા 50 લાખમાં સુરેશ શાહને મારવાની સોપારી લીધી હતી. આરોપીએ સુરેશ શાહની હત્યા માટેનું ષડયંત્ર ઘડ્યું હતું.

આરોપીઓ ઝડપાતાં તેમને સોપારી આપનાર શંકાસ્પદ શેખાવત સુધી પોલિસની પહોંચ પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.