અયોધ્યા ચૂકાદાને લઇને અમદાવાદમાં પોલીસ થઇ એલર્ટ

અમદાવાદઃ અયોધ્યાની વિવાદિત જમીનના ચૂકાદો આવી ગયો છે. આ સમાચાર જેવા વહેતા થયા આ સાથે જ  સમગ્ર દેશ અને રાજયના સુરક્ષા તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. દેશ-રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા જવાનોને બંદોબસ્તમાં મુકી દેવામાં આવ્યા છે. સુરક્ષા અને સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પોલીસની ટુકડીઓ  વધારી દેવામાં આવી છે.(પ્રજ્ઞેશ વ્યાસ)