ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જૂના સચિવાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓનો મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા. તેમના આ કાર્યની સરાહના પણ કરી.
આ રક્તદાન શિબિરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, રાજ્યના તમામ શૈક્ષણિક તેમજ વહિવટી કર્મચારી મંડળો મદદગાર પરિવારજનો પણ જોડાયા હતા. પરિણામે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે. જેમાં,
🔴 ૧ દિવસમાં ૧,૦૦,૦૦૦થી વધુ રક્તદાતા
🔴 ૩૦૦+ થી વધુ રક્તદાન શિબિરો
🔴 રાજ્યના શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓની અપ્રતિમ ભાગીદારી
આ સેવા અભિયાન માનવતાના સાચા મૂલ્યોને જીવંત કરે છે. તેમજ આપણી ભારતીય સેવા-સંસ્કૃતિની સહકાર ભાવના અને માનવતાના મંત્રને ઉજાગર કરે છે.




