ઉગ્રવાદીઓએ ફેંકેલો ગ્રેનેડ પોલીસ જવાને પાછો એમની પર ફેંક્યો

સોપોર (જમ્મુ-કશ્મીર) – જમ્મુ અને કશ્મીર રાજ્યના બારામુલ્લા જિલ્લાના સોપોર નગરમાં આજે એક પોલીસ અધિકારીની સમયસૂચકતાને કારણે એમના પક્ષે મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી. બન્યું એવું હતું કે, ઉગ્રવાદીઓએ એક હાથબોમ્બ ફેંક્યો હતો જે પોલીસ જવાનોની જીપમાં પડ્યો હતો, પણ એક સ્પેશિયલ પોલીસ ઓફિસરે સમયસૂચકતા વાપરીને તરત જ એ બોમ્બને હાથ લઈને ઉગ્રવાદીઓ તરફ પાછો ફેંક્યો હતો.

આમ કરીને તે પોલીસ અધિકારીએ એમની જીપમાં ૧૫ જવાનોનાં મરણ થતા નિવાર્યા હતા.