ગુજરાતી ફિલ્મોની દુર્દશાના શો ઉપાય?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ ફેબ્રુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

આશિષ ઈશ્વરલાલ તાલિયા (સુરત)

સવાલઃ ગુજરાતી ફિલ્મોની દુર્દશાના શા ઉપાય?

જવાબઃ દર્શકોને ખેંચે એવી ફિલ્મો નિર્માતાઓ બનાવે એ જ એકમાત્ર ઈલાજ છે. કિરણકુમારની કડલાંની જોડી સુપરડુપર હિટ બની હતી. કરમુક્તિની સગવડતા સહાય કરે, પણ ફિલ્મને લોકપ્રિય તો દર્શકો જ બનાવી શકે. ગુજરાતી ફિલ્મોની નિષ્ફળતાનું મુખ્ય કારણ આ જ છે. સદ્દભાગ્યે ગુજરાતી ફિલ્મોના સારા દિવસો આવ્યા છે. સારા વિષયની સામાજિક ફિલ્મો અને નવા ચહેરા આવે તો સફળતા મળે..!