જિંદગી ક્યારેય હાર નથી માનતીઃ અમિતાભનો બ્લોગ થયો વાયરલ

નવી દિલ્હી: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનનું કહેવું છે કે, જિંદગી ક્યારે હાર નથી માનતી અને આપણને પણ એ કદી હાર ન માનવાની અપીલ કરે છે, આજ જિંદગીની ખાસિયત છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર જિંદગી અંગે પોતાના વિચારો શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, કેવી રીતે એક માણસ દરરોજ સંઘર્ષોમાંથી પસાર થવુ પડે છે, ગંદકી, ધૂ‍ળ, વરસાદ, ગરમી આ મુશ્કેલીઓ હોવા છતાં પણ માણસ જીવિત રહેવા માટે સંઘર્ષને ચાલુ રાખે છે કારણ કે જીંદગી સતત રિપેર કરવાનું કામ છે.

બ્લૉગ પર આગળ લખ્યુ કે ‘લાઇફને સતત રિપેર કરતા રહેવું પડે છે. દરરોજ દિવસની શરૂઆત નવી આશાની કિરણ સાથે થાય છે. નવો દિવસ શું લઈને આવે છે અને કઈ વસ્તુનો સામનો કરવાનો છે, એમાં શું સમાયેલુ છે, અજાણતા, કઈ બાબતમાંથી બહાર આવવુ અને એનો સ્વીકાર કરવો વગેરે જેવી બાબતોનો સામનો કરવો પડે છે. આખરે આપણને અહેસાસ થાય છે કે આપણે વર્ક-ઇન-પ્રોગ્રેસ છે. તેમજ દરેક વ્યક્તિએ એને રિપેર… સોલ્યુશન લાવવું અથવા તો એનો ઉપચાર શોધવો પડે છે.’

આ વિશે વધુમાં જણાવતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘દિવસના અંતે આપણે જે કામની શરૂઆત કરી હોય એનું અંત લાવવું જરૂરી હોય છે. આ દરમ્યાન આપણને ઘણીવાર અહેસાસ થાય છે કે એને કોઈ અંત નથી અથવા તો અંત ખૂબ જ દુર છે. લાઇફની આ ક્વૉલિટી છે. તે ક્યારેય હાર નથી માનતી. તેમ જ તે આપણને પણ હાર ન માનવા માટે કહે છે.’

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનની તબિયત ઘણાં સમયથી અસ્વસ્થ હતી. તાજેતરમાં જ તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યુ છે. બીગ બી કોન બનેગા કરોડપતિ શોમાં ઘમાલ મચાવી રહ્યા છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન ટુંક સમયમાં જ કેટલીક બોલીવુડ ફિલ્મો મારફતે પરદા પર ધમાલ મચાવશે. આ ફિલ્મોમાં ચેહરે, ઝુંડ, બ્રહ્માસ્ત્ર અને ગુલાબો સિતાબોનો સમાવેશ થાય છે.