પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂઃ અડિયાલા જેલ પાસે ટેન્શન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ થોડા સમયમાં અડિયાલા જેલ તરફ વિરોધ પ્રદર્શન માટે માર્ચ કરશે. ઇસ્લામાબાદની હાઇકોર્ટ પાસે વધારાના સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે. હાઇકોર્ટ પાસે સમર્થકો ઇમરાન ખાનતરફી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

ઇમરાનના સમર્થકો અડિયાલા જેલ પહોંચવા લાગ્યા છે, વાહનોમાં ભરાઈને લોકો જેલ તરફ નીકળી ગયા છે. જેલમાં ઇમરાન અને તેમના પરિવાર વચ્ચે મુલાકાતની માગ ચાલી રહી છે.  એ દરમિયાન ઇમરાનની બહેન નોરિન નોરિન નિયાઝી અનુસાર જેલમાં ઇમરાન પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે. તેમને કેદમાં રાખીને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. નોરિને કહ્યું હતું કે જો મુનિર ઇમરાનને તેમના કોઈ પણ એક પરિવારજન સાથે મળવા દે તો મામલો એટલો ન બગડે.

બીજી તરફ, પાકિસ્તાની મિડિયાના જણાવ્યા મુજબ શહબાઝ શરીફ નવાઝ શરીફને મળવા લાહોર પહોંચી ગયા છે. પાકિસ્તાની મિડિયાનો દાવો છે કે નોટિફિકેશન બહાર ન આવે ત્યાં સુધી ઇમરાનને કોઈ સાથે મળવા નહીં દેવામાં આવે. એવું પણ કહેવાય છે કે આસિમ મુનિરના નોટિફિકેશનને લઈને મુલાકાત થઈ શકે છે અને આ નોટિફિકેશન પર મોટો નિર્ણય આવી શકે છે.

પાકિસ્તાનમાં અગત્યની બેઠક

આ બેઠકમાં મુકાબલા માટે મુનિરના ભવિષ્ય પર નિર્ણય થઈ શકે છે. મુનિરના CDF નોટિફિકેશન બહાર પડશે કે નહીં—તે આજે સ્પષ્ટ થઈ જશે. હજુ સુધી મુનિરના નોટિફિકેશન પર સહી થઈ નથી. એટલું જ નહીં, ઇમરાનના નજીકના પત્રકારે દાવો કર્યો છે કે પાકિસ્તાનની સેનામાં હાલમાં ચાર પદ ખાલી છે—CDF, આર્મીના વાઈસ ચીફ, સ્ટ્રેટેજિક કમાન્ડના વડા, અને ISI ચીફનું પદ પણ ખાલી છે. મુનિરના નોટિફિકેશનને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ

રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ ઇમરાન અંગે છેલ્લા 29 દિવસથી કોઈ માહિતી નથી. બીજી બાજુ, ઇમરાનની પાર્ટીના નેતાઓ મોટો વિરોધ માર્ચ કાઢવા તૈયાર છે. PTIના સાંસદો અને ધારાસભ્યો અડિયાલા જેલ પર ધસી ગયા છે. ઇમરાનના સમર્થનમાં થનારા આ વિરોધને દબાવવા માટે મુનિરે દરેક જગ્યાએ સુરક્ષા દળોને તહેનાત કર્યાં છે. સમર્થકો આજની મુલાકાત માટે અડગ છે, પરંતુ મુનિર અને શહબાઝ કોઈ પણ સ્થિતિમાં ઇમરાનને સમર્થકો સાથે મળવા દેવા તૈયાર નથી.