આરબીઆઈએ ત્રીજીવાર રેપો રેટ ઘટાડ્યો, NEFT- RTGS પર ચાર્જ નહીં…

નવી દિલ્હી: રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે. આ સતત ત્રીજો અવસર છે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હોય. ગત બે બેઠકમાં પણ MPC રેપો રેટમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ આરબીઆઇના ગર્વનર બન્યા બાદ આ સતત ત્રીજો ઘટાડો છે. આ પહેલાં ફેબ્રુઆરી અને એપ્રિલની પોલિસીમાં પણ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. NEFT અને RTGS દ્વારા પૈસા ટ્રાન્સફર કરતાં હવે ચાર્જ લાગશે નહીં. સાથે જ રેપો રેટ ઘટતાં હોમ લોનની EMI ઓછી થઇ જશે.  આરબીઆઇએ પોલિસીમાં રીવર્સ રેપો રેટમાં પણ ફેરફાર કર્યા છે. રીવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.50 ટકા કરી દેવામાં આવ્યો છે. જોકે સીપીઆરમાં કોઇપણ ફેરફરા કરવામાં આવ્યો નથી. સીઆર આરએ 4 ટકા પર જ રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આરબીઆઇએ પોતાનું વલણ ન્યૂટ્રલથી બદલીને અકોમોડેટિવ કર્યું છે.

રેપો રેટ એ દર હોય છે, જેનાપર આરબીઆઇ બેંકોને લોન આપે છે. જોકે જ્યારે પણ બેંકો પાસે ફંડની ખોટ હોય છે, તો તે તેની ભરપાઇ કરવા માટે સેંટન્રલ બેંક એટલે કે આરબીઆઇ પાસેથી પૈસા લે છે. આરબીઆઇ દ્વારા આપવામાં આવનાર આ લોન એક ફિકસ્ડ રેટ પર મળે છે. આ ફિક્સ્ડ રેટને રેપો રેટ કહેવામાં આવે છે. તેને ભારતીય રીઝર્વ બેંક દર ત્રિમાસિકના આધારે નક્કી કરે છે.