રિલાયન્સ JIOએ 30 કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો, મળ્યો આનો ફાયદો

મુંબઈ: ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિઓના દેશભરમાં 30 કરોડથી વધુ ગ્રાહકોનો નોંધાયા છે, જેમાં ગુજરાતમાં કુલ યુઝર્સની સંખ્યા ૧.૯૫ કરોડ પર પહોંચી છે. કંપનીએ 2 માર્ચના રોજ આ આંકડો હાંસલ કર્યો હતો. આઇપીએલની ચાલી રહેલી સીઝનમાં જિઓના ગ્રાહકોની સંખ્યામાં મહત્વનો વધારો નોંધાયો છે.

મહત્વનું છે કે,  જિઓએ ભારતમાં તેની વ્યાપારી કામગીરી શરૂ  કર્યાના ૧૭૦ દિવસમાં જ દસ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો હતો.

ડિસેમ્બર ૨૦૧૮ના પૂરા થયેલા ક્વાર્ટરના અંતે નાણાકીય કામગીરીમાં ભારતી એરટેલના ૨૮.૪ કરોડ ગ્રાહકો નોંધાયા હતાં. રેગ્યુલેટરી ફાઇલિંગ્સ મુજબ ભારતી એરટેલ ડિસેમ્બરના અંતે ૩૪ કરોડ ગ્રાહકો ધરાવતી હતી અને જાન્યુઆરીના અંતે તેના ગ્રાહકોની સંખ્યા ૩૪ કરોડ કરતાં વધારે હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતી એરટેલે તેની કામગીરીના ૧૯મા વર્ષે ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો હતો. સમગ્ર દેશની સૌથી મોટી ઓપરેટર આઇડિયા વોડાફોન ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ના મર્જર પછી ૪૦ કરોડ ગ્રાહક ધરાવે છે.