RILએ તિરુમલા વેન્કટેશ્વર મંદિરને આપ્યું 1.11 કરોડનું દાન

મુંબઈ -મૂકેશ અંબાણીની કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભગવાન વેંન્કટેશ્વર મંદિરને 1.11 કરોડનું દાન કર્યું છે. મંદિરના એક અધિકારીએ તેમના નિવેદનમાં આ વાત કહી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ રકમ તિરુમલા સ્થિત જાણીતા મંદિરને આપવામાં આવી છે. ગંભીર બિમારીઓથી પીડિત ગરીબોની મદદ માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું.

રિલાયન્સ દ્વારા આ રકમ ટીટીડીના સંયુક્ત કાર્યકારી અધિકારીઓને ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ દાનનો ઉપયોગ મંદિર દ્વારા ચલાવવામાં આવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર કરવા માટે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, દેશભરમાં સૌથી વધુ દાન કરનારા બિજનેસમેનોમાં મૂકેશ અંબાણીનું નામ ટોપ પર છે.  એક રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2017થી ડિસેમ્બર 2018 દરમિયાન અંબાણીએ અલગ અલગ સામાજિક કાર્યક્રમોમાં 437 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.