મુંબઈ- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. બજારનું અનુમાન હતું કે આરબીઆઈ વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટનો વધારો કરશે. પણ અનુમાન સાચુ ઠર્યું નથી. આરબીઆઈએ તમામ દરો યથાવત રાખ્યા છે. રેપો રેટ 6.5 ટકા, રીવર્સ રેપો રેટ 6.25 ટકા યથાવત રહ્યા છે. આથી હવે ઈએમઆઈ વધવાનો હાલ કોઈ ભય રહ્યો નથી.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઊર્જિત પટેલે સ્પષ્ટ કર્યું છે કે હવે ઝડપથી દરોમાં ઘટાડો કરવાની કોઈ સંભાવના નથી. આરબીઆઈએ ગ્રોથને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના વિચારોમાં થોડો ફેરફાર કર્યો છે. આરબીઆઈએ રજૂ કરેલ ધીરાણ નીતિના મહત્વના અંશ નીચે મુજબ છે.
|
નોંધનીય છે કે, ઈન્ટ્રા-ડેમાં રુપિયો ૭૪ની સાયકોલોજિકલ સપાટી તોડીને ૭૪.૦૭એ પહોંચ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યુ હતુ કે, મોનિટરિંગ પોલિસીની બેઠકમાં રેપો રેટની વોટિંગમાં છમાંથી પાંચ વોટ વ્યાજદર યથાવત્ રાખવા માટે પડયા હતાં જ્યારે ફક્ત એક વોટ રેપો રેટમાં વધારો કરવા માટે પડયો હતો. બીજી બાજુ રિવર્સ રેપો રેટ ૬.રપ ટકા રાખવામાં આવ્યો છે જ્યારે ફુગાવાનો લક્ષ્યાંક ચાર ટકા રાખવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૭.૪ ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે.