વિમાની મુસાફરી માટે ચહેરો કાફી, બોર્ડિંગ પાસની જરુર નહીં પડે

નવી દિલ્હીઃ હવે વિમાની યાત્રા કરવા માટે બોર્ડિંગ પાસની જરુરિયાત નહી રહે. માત્ર યાત્રીનો ચહેરો જ બોર્ડિંગ પાસ સાબિત થશે. આવતા મહિને વારાણસી, વિજયવાડા, પૂણે અને કોલકાતા એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ થશે. ત્યારબાદ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અને બેંગ્લોરમાં સુવિધા શરુ થશે. આજે કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડયનપ્રધાન સુરેશ પ્રભુએ digiyatra નામની આ સ્કીમનું લોન્ચ કર્યું છે.

ફેસ રિકોગ્નાઈઝેશન ટેકનિક બાયોમેટ્રિક સોફ્ટવેર પર કામ કરી રહી છે. આમાં ચહેરાની બાયોમેટ્રિક ડિટેલ દ્વારા યાત્રીઓની ઓળખ થશે અને એરપોર્ટ પર આરામથી જઈ શકાશે. આના માટે યાત્રીઓએ વારંવાર બોર્ડિંગ પાસ, પાસપોર્ટ અથવા અન્ય ઓળખપત્રો નહી બતાવવા પડે.

આ સુવિધાથી યાત્રીઓ લાઈનમાં ઉભા રહ્યા વગર યાત્રા કરી શકશે. તો બીઆઈએએલ દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવાયું છે કે બોર્ડિંગ માટે રજિસ્ટ્રેશનને પેપરલેસ બનાવીને વિમાની મુસાફરીને સરળ કરવા માટે આ સુવિધા શરુ કરવામાં આવી છે. બાયોમેટ્રિક ટેક્નોલોજીથી યાત્રીઓના ચહેરાથી તેમની ઓળખ હશે અને તેઓ એરપોર્ટ પર જઈ શકશે. આના માટે તેમણે વારંવાર બોર્ડિંગ પાસ, પાસપોર્ટ અથવા અન્ય ઓળખપત્રો નહી બતાવવા પડે.

આ સેવા શરુ થવાથી સમયની ખૂબ બચત થશે. બોર્ડિંગ પાસની તપાસને લઈને પણ ખૂબ સમય લાગે છે. તો આ સાથે જ સિક્યોરિટી પર પણ ખૂબ ફોકસ કરવું પડે છે. પરંતુ ચહેરાની ઓળખ થતા જ યાત્રીની પૂર્ણ ઈન્ફોર્મેશન ઉપ્લબ્ધ થઈ જશે અને ત્યારબાદ તેઓ સરળતાથી પ્રવેશ કરી શકશે.