એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ સહિત 5 એરલાઈન્સના સેફ્ટી ઓડિટે ખોલી પોલ…

નવી દિલ્હીઃ એવિએશન વાચડોગ ડીજીસીએને એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસજેટ, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને ગોએરના સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમમાં તમામ ખામીઓ મળી છે. આ એરલાઈન્સના સેફ્ટી ઓડિટમાં આ ખુલાસો થયો છે. સરકારે રાજ્યસભામાં આ જાણકારી આપી છે.

સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઓડિટમાં ફ્લાઈટ ક્રૂ રોસ્ટરિંગ સોફ્ટવેરના અપગ્રેડ ન હોવાનો પણ ખુલાસો થયો છે. સાથે જ ચેક-ઈન કાઉન્ટર્સની દેખરેખ અપ્રશિક્ષિત સ્ટાફ કરી રહ્યો છે. ઉપરી સદનમાં એક સવાલના લેખિત જવાબમાં તેમણે કહ્યું કે ચેક-ઈન કાઉન્ટર્સ પર અન્ય સ્ટાફને પણ ડેન્જરસ ગુડ રેગ્યુલેશન્સનું પ્રશિક્ષણ હોવા છતાં પણ ખતરનાક સામાનોના રખરખાવની જાણકારી નથી.

પુરીએ કહ્યું કે રેગ્યુલેટર એત્યાધિક એફઓક્યૂએ માટે કરેક્ટિવ એક્શન ઉઠાવવામાં મોડું થવાની ગંભીર સમસ્યા મળી. ફ્લાઈટ ઓપરેશન્સ ક્વાલિટી એશ્યોરન્સ ફ્લાઈટ ઓપરેશન્સની સેફ્ટી અને ક્ષમતામાં સુધારા માટે ફ્લાઈટ્સથી દરેક પ્રકારને ડેટા પ્રાપ્ત કરવા અને તેના વિશ્લેષણની પ્રોસેસ છે. જ્યારે પણ એક સેફ્ટી પેરામીટર લિમિટ એક સીમાથી વધારે થઈ જાય છે તો તેને એક્સીડેન્સ અથવા ઈવેંટ કહેવામાં આવે છે.

ડીસીજીએ નિયમિત રુપે એન્યુઅલ સર્વિલાન્સ પ્લાન અંતર્ગત શિડ્યુલ્ડ અને નોન શિડ્યુલ્ડ એરલાઈન્સનું સેફ્ટી ઓડિટ કરાવતી રહે છે. પ્રધાને કહ્યું કે ગત વખતે આ પાંચ એરલાઈન્સના ઓડિટ કરાવવામાં આવ્યાં હતાં.