અમદાવાદ– દીવાળી દરમિયાન સામાન્ય મેલ્સ ઉપરાંત મોટા પ્રમાણમાં શુભેચ્છા કાર્ડ પોસ્ટ કરવામાં આવે છે. આ ખાસ મેઈલને ઝડપી ડિલિવરી આપવા માટે પોસ્ટ ઓફિસ અને આર.એમ.એસ. કચેરીઓમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પોસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ ગ્રાહકોએ દીવાળીના શુભેચ્છા કાર્ડ વહેલાસર પોસ્ટ કરી દેવા.
પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકોને નીચેની રીતે સહકાર આવાની વિનંતી કરાઈ છે.
1. બધી પોસ્ટ કચેરીઓના કાઉન્ટર્સ પર ઉપલબ્ધ સ્પીડ પોસ્ટની સેવા દીવાળી શુભેચ્છાઓના બુકિંગ માટે ઉપયોગ કરી શકાય છે. સ્પીડ પોસ્ટ આર્ટીકલને www.indiapost.gov.in
2. કૃપા કરીને છેલ્લી ઘડીની દોડાદોડથી બચવા તમારી શુભેચ્છાઓ પોસ્ટ શક્ય તેટલી વહેલી કરશો.
3. તા.10-10-2017 થી 20-10-2017 સુધી અમદાવાદ જી.પી.ઓ અને નવરંગપુરા એચ.ઓ. ખાતે ખાસ પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે.
4. સાચા પીન કોડ સાથે પુરું સરનામું લખવું.
5. રજિસ્ટર્ડ ન્યૂઝ પેપર્સના પ્રકાશકોને વિનંતી કે દીવાળીના અંકો એક અઠવાડિયા અગાઉ પોસ્ટ કરે.
6. ગ્રીટીંગ્સ/દિવાળી કાર્ડના દરઃ
અ. પ્રિન્ટેડ પોસ્ટ કાર્ડ : 6.00 રૂ.
બ. પ્રિન્ટેડ કવર : 5.00 રૂ. (દરેક 20 ગ્રામ અથવા તેના ભાગ માટે)
ક. બૂક પોસ્ટ : 4.00 રૂ. (પ્રથમ 50 ગ્રામ માટે) 3.00 રૂ. (વધારાના 50 ગ્રામ અથવા તેના ભાગ માટે
7. વધુ માહિતી માટે www.indiapost.gov.in પર લોગ ઓન કરો.