બોલે તેનાં બોર વેચાય

બોલે તેનાં બોર વેચાય

 

આજે આપણે ઉપભોક્તાવાદ અને માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ. માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી થાય છે. બોર જેવી પ્રમાણમાં સાવ નજીવી કિંમતની વસ્તુ વેચવી હોય તો પણ એનાં ગુણગાન ગાવા પડે છે. એટલે જ લારીમાં ફળ લઈને પસાર થતો ફેરીયો કાંઈક આમ કહે છે.

“બોર લ્યો.. બોર… તાજાં–મીઠાં બોર,

દાડમ, જામફળ, કેળાં, પપૈયાંલ્યો

મીઠાં મધ સેતુર કે દરાખ લ્યો.”

એ જો ચૂપચાપ લારી લઈને સોસાયટીમાંથી પસાર થઈ જાય તો ?

માટે જ કહ્યું છે બોલે તેનાં બોર વેચાય.

પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)