વગર બોલાવે બોલે તે તણખલાંને તોલે

 

વગર બોલાવે બોલે તે તણખલાંને તોલે

 

 

કોઈપણ બે માણસો વાત કરતા હોય, કોઈક ગંભીર ચર્ચા ચાલી રહી હોય એવા પ્રસંગે અભિપ્રાય ન પૂછવામાં આવે તો યે વચ્ચે ડબડબ કરનાર માણસનું છવેટ અપમાન થાય છે. ઘણા લોકોને આવી આદત હોય છે કે બે વ્યક્તિ વાત કરી રહી હોય ત્યારે જરૂર ન હોય છતાં, પૂછવામાં ન આવે છતાં પોતાનો અભિપ્રાય આપી દે છે. કાં તો વચ્ચેથી વાત કરવાનું શરૂ કરી દે છે.

જેમ તણખલાને વજન નથી હોતું તેમ કામ વગરનું વચ્ચે બોલનાર પણ પોતાનું વજન એટલે કે માન ગુમાવે છે. વણમાંગી સલાહ ન આપો. સાંભળો બધું જ, પણ જ્યાં સુધી તમને પૂછવામાં ન આવે ત્યાં સુધી મૌન રહો.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)