હલાવ્યા વગર દાઝે…

હલાવ્યા વગર દાઝે

 

કોઇ પણ વસ્તુ પછી તે ખેતી હોય કે તાવડીમાં સેકવા માટે નાખેલો રોટલો, નિયમિત અને નિરંતર ધ્યાન માંગી લે છે. ખિચડી ચઢવા મૂકી હોય અને એનું યોગ્ય ધ્યાન ન રખાય તો દાઝે. દૂધ ઉકળવા મૂક્યું હોય અને એને હલાવતા ન રહો તો દૂણાઇ જાય.

ટૂંકમાં કોઇ પણ કામ કરો એની પૂરતી માવજત નહીં કરો તો એમાં ભલીવાર નહીં આવે.

 

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)