નવું પાણી જૂના પાણીને ખેંચી જાય

 

 

નવું પાણી જૂના પાણીને ખેંચી જાય…

 

 

 

રોકાયેલ પાણીનો અર્થ અહીંયા સંપત્તિ તરીકે કરવામાં આવ્યો છે. માણસ લોભમાં ખેંચાઈને ખોટા રસ્તે પૈસા ભેગા કરે ત્યારે કોઈને કોઈ રીતે આમ ભેગું કરેલ ધન અથવા સંપત્તિ વેડફાઇ જાય છે. જે રીતે એક બંધારામાં નવું પાણી ભરાવાનું શરૂ થાય અને એનું સ્ટોરેજ બંધારાની ક્ષમતા કરતાં પણ વધી જાય ત્યારે પાણી પોતાનો રસ્તો બંધારાની પાળ તોડીને કરી લે છે. નવું આવેલ પાણી તો વહી જ જાય છે પણ તે પહેલાં બંધારામાં જે જૂના પાણીનું સ્ટોરેજ હતું તેને પણ રસ્તો મળતાં બંધારો ખાલીખમ થઈ જાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)