આસમાન સે ગિરા ખજૂરી મેં અટકા

 

આસમાન સે ગિરા ખજૂરી મેં અટકા

 

કોઈ એક આફતમાં માણસ ફસાયેલો હોય એમાંથી માંડ માંડ છૂટી હાસકારો અનુભવતો હોય ત્યાં બીજી જ કોઈ આફત એને ઘેરી લે ત્યારે આકાશમાંથી નીચે પડતો માણસ જેમ છેક જમીન પર પહોંચે (ખજૂરીનું ઝાડ બહુ ઊંચું હોતું નથી) તે પહેલાં જ ખજૂરીના ઝાડમાં ફસાય તો એને એનાં પાંદડાની તીણી ટોચ અને ખજૂરીનું બરછટ થડ વાગે. આ કારણથી એક આફતમાંથી છટકી બીજી આફતમાં ફસાય ત્યારે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)