આગરાના તાજમહલમાં આજથી નિયંત્રણો લાગુ…

આગરાના સુપ્રસિદ્ધ સ્મારક અને દુનિયાની સાત અજાયબીઓમાં જેની ગણના કરવામાં આવે છે તે તાજમહલમાં 1 એપ્રિલ, રવિવારે એક મુલાકાતી મહિલા તસવીર માટે પોઝ આપી રહી છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ઈસ્યૂ કરેલી નોટિસ મુજબ તાજમહલમાં 1 એપ્રિલ, 2018થી મુલાકાતીઓ માટે એન્ટ્રીનો સમય માત્ર ત્રણ કલાક પૂરતો જ રહેશે. સ્મારક ખાતે લોકોની થતી અપાર ભીડને નિયંત્રણમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતની ઐતિહાસિક ઈમારતોની સંભાળ રાખતી સંસ્થા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ તાજમહલની મુલાકાતનો સમય હવે નિશ્વિત કરી દીધો છે. દરેક મુલાકાતી ફક્ત 3 કલાક માટે જ મુલાકાત લઈ શકશે. જો કોઈ વ્યક્તિ 3 કલાકથી વધારે સમય તાજમહલ પરિસરમાં રોકાશે તો વધારાની રકમ દંડરૂપે બહાર નીકળતી વખતે એણે ચૂકવવી પડશે. આની પાછળનો હેતુ પૈસા કમાવાનો નથી, પરંતુ આ ઐતિહાસિક ઈમારતની સુરક્ષા વધારવાનો અને તેની સાર-સંભાળ સારી રીતે રાખવાનો છે.

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન એની મિત્રોની સાથે તાજમહલ જોવા આવી છે