ભારત-ન્યૂઝીલેન્ડ SF મેચમાં વરસાદનું વિઘ્ન…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સેમી ફાઈનલ મેચ 9 જુલાઈ, મંગળવારે માન્ચેસ્ટરમાં વરસાદને કારણે પૂરી કરી શકાઈ નહીં. ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ખાતેની આ મેચને 10 જુલાઈ, બુધવારનના રિઝર્વ દિવસમાં લઈ જવાની આયોજકોને ફરજ પડી છે. વરસાદ પડ્યો ત્યારે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન કર્યા હતા. રોસ ટેલર 85 બોલમાં 67 રન (3 ચોગ્ગા, 1 છગ્ગા સાથે) અને ટોમ લેથમ 3 રન સાથે દાવમાં હતો. ન્યૂઝીલેન્ડે ગુમાવેલી પાંચ વિકેટ છેઃ માર્ટિન ગપ્ટીલ (1), હેન્રી નિકોલ્સ (28), કેપ્ટન કેન વિલિયમ્સન (67), જેમ્સ નિશમ (12), કોલીન ડી ગ્રેન્ડહોમ (16). ભારતના પાંચેય બોલર – જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી છે. વિલિયમ્સને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.










87 વર્ષનાં 'યુવાન' ચારુલતાબેન પટેલ પણ મેચ જોવા આવ્યાં છે. ગાલ પર તિરંગાનું ચિત્ર, તિરંગાનાં રંગોની પિપૂડી વગાડીને ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારતાં હતાં.