કોહલી, ચાનુને ‘ખેલ રત્ન’ એનાયત…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 25 સપ્ટેંબર, મંગળવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલા સમારંભમાં ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને 2018ના વર્ષ માટેના રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. આ ઉપરાંત 20 ખેલાડીઓને અર્જુન એવોર્ડ અને 8 જણને દ્રોણાચાર્ય એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા.