ન્યૂઝીલેન્ડ પર ભારતનો 4-1થી શ્રેણીવિજય…

ભારતીય ક્રિકેટ ટીમે વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમ ખાતે 3 ફેબ્રુઆરી, રવિવારે પાંચમી અને સીરિઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 35-રનથી હરાવીને પાંચ-મેચોની સીરિઝ 4-1થી જીતી લીધી હતી. રોહિત શર્મા અને એના સાથીઓએ પાંચમી મેચમાં 49.5 ઓવરમાં 252 રન કર્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 44.1 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 90 રન કરનાર અંબાતી રાયડુને 'પ્લેયર ઓફ ધ મેચ' અને સમગ્ર સીરિઝમાં કુલ 9 વિકેટ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 'પ્લેયર ઓફ ધ સીરિઝ' ઘોષિત કરવામાં આવ્યો હતો.


વિરાટ કોહલીની જગ્યાએ છેલ્લી બે મેચમાં સુકાન સંભાળનાર રોહિત શર્મા વિજેતા ટ્રોફી સાથે








































અંબાતી રાયડુ (90 રન) - પ્લેયર ઓફ ધ મેચ